કોઈ પણ બાળક પોતાને એકલો ન સમજવો જોઈએ
શરૂઆતમાં જ્યારે મેં બાળકો માટે આશ્રયસ્થાન બનાવવા વિચાર્યું, ત્યારે મને ખબર હતી કે માળખું પૂરતું નથી. સાચો આધાર ત્યારે મળે જ્યારે કોઈ બાળકને પોતાની ઓળખ મળે, વિશ્વાસ મળે, અને ભવિષ્ય માટે આશા મળે.
વાત્સલ્યધામ એ બાળક માટે ઘરની જેમ છે – જ્યાં તેમને શિક્ષણ મળે છે, પોષણ મળે છે અને સૌથી વધુ – મહેસૂસ થાય છે કે તેઓ પણ કોઈ છે.
અહીંના દરેક બાળક માટે અમારું લક્ષ્ય છે:
શિક્ષણ એ માટે છે જે કંઈક જીવનમાં મેળવવા માંગે છે. અહી દરેક બાળકને મફતમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે છે, સાથે સાથે જીવન કૌશલ્ય, રમતગમત અને આત્મવિશ્વાસનું નિર્માણ થાય છે.
વિશેષ ધ્યાન એ પર છે કે બાળક પોતાના માટે વિચારી શકે, પોતાના ભવિષ્યને લઈને પોતે નિર્ણય લઈ શકે.
મારા માટે સહાનુભૂતિ કરવી એ જવાબદારી નથી. મારું કામ એ છે કે એ બાળકોને આત્મનિર્ભર બનાવું.
આથી વાતસલ્યધામમાં આપણે શીખવીએ છીએ:
અહીં શિક્ષણ એ માત્ર અભ્યાસ સુધી સીમિત નથી. અમે શીખવીએ છીએ કે:
શાળાની બહારનું શિક્ષણ પણ એટલું જ અગત્યનું છે – જ્યાં બાળક સમસ્યાઓ ઉકેલે છે, ગુમાવવાનો ડર ન રાખે અને સફળતા સાથે સંઘર્ષ પણ સમજે.
મારે નિરાધાર બાળકો માટે હંમેશા ઊભું રહેવું છે – તેમની સફળતા જોવા માટે નહિ, પણ તેમને સફળ થવા માટે વિશ્વાસ આપવા માટે. કેમ કે નિરાધાર એટલે નહિં કે અધૂરું – તેઓમાં પણ અઢળક શક્તિઓ છે, જરૂર છે તો માત્ર પ્રેમ અને વિશ્વાસની અને એ વિશ્વાસ હું તેમનામાં હંમેશાં રાખીશ.
— શ્રી વસંતભાઈ હરિભાઈ ગજેરા